For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

અમરેલીમાં BJPના મહિલા નેતાની હત્યા મામલે 3 આરોપીઓની ધરપકડ, કઈ બાબતે થયો હતો ઝઘડો?

11:57 AM Nov 16, 2023 IST
અમરેલીમાં bjpના મહિલા નેતાની હત્યા મામલે 3 આરોપીઓની ધરપકડ  કઈ બાબતે થયો હતો ઝઘડો
Advertisement

Amreli News: અમરેલી જિલ્લાના ધારીમાં ભાઈબીજના દિવસે જ ભાજપના મહિલા નેતાની હત્યા થઈ ગઈ. પાડોશી સાથે થયેલી તકરારમાં ખેલાયેલા આ ખૂની ખેલમાં તલવારના ઘા મારીને ભાજપ નેતા મધુબેન જોશીની હત્યા કરી નખાઈ, જ્યારે તેમનો પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો. હત્યાના આ બનાવમાં પોલીસે ત્રણ શખ્સોની હાલ ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement

કઈ બાબતે થઈ હતી બોલાચાલી?

લોહીયાળ ઘટના અંગે ભાજપ નેતા મધુબેન જોશીના પુત્ર હિતેશે જણાવ્યું હતું કે, 3 આરોપીઓમાંથી 1 સાથે તેના ભાઈને અગાઉ ફટાકડા ફોડવા અંગે સામાન્ય બોલાચાલી થઈ હતી. મારો ભાઈ સાંજે જઈ રહ્યો હતો ત્યારે આરોપીઓએ કાર ચડાવીને તેને મારવાનો પ્રયાસ કર્યો હતો. આથી માતા અને ભાઈ તેમને ઠપકો આપવા ગયા હતા. આ સમયે ત્રણેયે તલવારથી માતા અને ભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો, અને હાથ કપાઈ જતા માતાનું મોત થઈ ગયું, જ્યારે ભાઈ સારવાર હેઠળ છે. માસીના દીકરાની પણ હાથની આંગળીઓ કપાઈ ગઈ છે.

Advertisement
ADVERTSIEMENT

બે આરોપીઓ હોસ્પિટલમાં

હાલમાં પોલીસે હુમલો કરનારા ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે. જેમાંથી બે આરોપીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાથી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. જ્યારે અન્ય એક આરોપીને પોલીસ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે.

Advertisement सब्सक्राइब करें

CMનો આજે અમરેલીમાં કાર્યક્રમ

ખાસ છે કે અમરેલીના દૂધાળામાં આજે જળ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં CM ભૂપેન્દ્ર પટેલ તથા સુરતના ઉદ્યોગપતિ અને રાજકીય અગ્રણીઓ આવવાના છે, જોકે આ પહેલા જ ધારીમાં લોહીયાળ ખેલ ખેલાતા ચકચાર મચી ગઈ હતી.

 

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.