For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

Exclusive: PM મોદીને ભગવાન માની સુરતના વ્યક્તિએ હાથ પર નરેન્દ્ર મોદીની તસવીરનું ટૈટૂ કરાવ્યું

02:49 PM Sep 07, 2023 IST
exclusive  pm મોદીને ભગવાન માની સુરતના વ્યક્તિએ હાથ પર નરેન્દ્ર મોદીની તસવીરનું ટૈટૂ કરાવ્યું
Advertisement

Surat PM Modi Fan: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમની એક અલગ જોવા લોકો ઉમટી પડતા હતા. હવે જ્યારથી તેઓ વડા પ્રધાન બન્યા છે ત્યારથી માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરના દેશોમાં તેમનો જન રસ વધ્યો છે. આજે દેશ હોય કે વિદેશ, દરેક જગ્યાએ મોદીનું રણશિંગુ ફૂંકાઈ રહ્યું છે. આ વચ્ચે ગુજરાતના સુરતમાં રહેતા 68 વર્ષીય મિકેનિક એન્જીનિયર પ્રકાશ મહેતાએ પોતાના હાથ પર કોઈ દેવી-દેવતાનું નહીં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટૈટૂ બનાવ્યું છે.

Advertisement
Advertisement

Advertisement
ADVERTSIEMENT

PM મોદીના બર્થડે પહેલા ચાહકે આપી ભેટ

પ્રકાશ મહેતાએ પોતાના હાથ પર મોદીનું ટૈટૂ બનાવવા પાછળનું કારણ એ છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના ભગવાન માને છે અને જેને તેઓ સૌથી વધુ પ્રેમ કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે આવી રહ્યો છે, તેથી તેની ઉજવણી કરવા માટે, નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય ધ્વજની આકૃતિ તેમના પોતાના હાથે બનાવવામાં આવી છે. પોતે એક એન્જિનિયર હોવાને કારણે તેમણે આ તસવીર જાતે જ ડિઝાઇન કરી છે.

Advertisement सब्सक्राइब करें

જાતે જ ટૈટૂની ડિઝાઈન તૈયાર કરી

આ અંગે વાત કરતા પ્રકાશ મહેતાએ કહ્યું, હું એન્જિનિયર છું અને હું પોતે નરેન્દ્ર મોદીનો આશિક છું અને તે અમારા ભગવાન. અમે ખૂબ જ એમને માનીએ છીએ. તેમની વિચારસરણી, ટેકનોલોજી, એડવાન્સ ચાલવું, એકદમ મોજિલા રહેવા છતા દરેક કાર્યમાં સંપૂર્ણ ડૂબી જવું. અમારું આખું કુટુંબ તેમને ભગવાન જ માને છે. મને ટૈટૂ કરાવવાનો વિચાર આવ્યો. મારે નરેન્દ્રભાઈ મોદીની બર્થડે પર એમને ગિફ્ટ આપવી છે એટલે મેં તેમના બર્થડે પહેલા ટૈટૂ કરાવ્યું અને ભારત રાષ્ટ્રને બહુમાન આપું છું એટલે તેના માટે રાષ્ટ્રધ્વજ કરાવ્યો છે મેં. આ ડિઝાઈન મેં પોતે જ બનાવી અને ટૈટૂવાળા ભાઈ પાસે જઈને કરાવ્યું.

(સંજયસિંહ રાઠોડ, સુરત)

 

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.