For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

અમદાવાદ એરપોર્ટ પર ટર્મિનલ-VIP લોન્ચના ચાર્જમાં વધારો અદાણી ગ્રુપે પાછો ખેંચ્યો

03:48 PM Oct 19, 2023 IST
અમદાવાદ એરપોર્ટ પર ટર્મિનલ vip લોન્ચના ચાર્જમાં વધારો અદાણી ગ્રુપે પાછો ખેંચ્યો
Advertisement

Ahmedabad: અમદાવાદ એરપોર્ટ પર ચાર્ટર્ડ ફ્લાઈટ માટે વપરાતા જનરલ એવિએશન ટર્મિનલના ઉપયોગ માટે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ પેસેન્જરો પાસેથી વસૂલાતા ચાર્જમાં વધારો કરાયો હતો. જેનો ભારે વિરોધ થતા આ મામલે વિવાદ થયો હતો. 1લી સપ્ટેમ્બરથી અમલી બનેલા આ વધારાના નિર્ણયને હવે અદાણી જૂથ દ્વારા આ વધારો પાછો ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement
Advertisement

અદાણી જૂથ દ્વારા અચાનક ચાર્ટર્ડ ફ્લાઈટ માટેના ચાર્જમાં 10 ગણો વધારો કરી દેવામાં આવ્યો હતો. અદાણી મેનેજમેન્ટ દ્વારા 1લી સપ્ટેમ્બરથી જનરલ એવિએશન માટે 8 પેસેન્જર સુધી 9440 ચાર્જ લેવાતો તેને વધારીને 6 પેસેન્જરોના 11,800 કરી દેવાયા હતા. જ્યારે VIP લોન્જમાં બે કલાક સુધી 6 પેસેન્જર માટે 5000ને વધારીને 6000 કરી દેવાયા હતા. વાઈબ્રન્ટ સમિટ પહેલા જ આ વધારાના કારણે એરલાઈન્સ કંપનીઓએ વાંધો ઉઠાવ્યો હતો. અને ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

Advertisement
ADVERTSIEMENT

સાથે જ એરલાઈન્સ કંપનીઓએ આ મામલે AERA એરપોર્ટના રેટ નક્કી કરતું હોવાનું જણાવી સરકારને મધ્યસ્થી કરવા માંગ કરી હતી. જે બાદ અદાણી ગ્રુપ દ્વારા જૂના દરો જ યથાવત રાખવાનો નિર્ણય આખરે લેવામાં આવ્યો છે.

Advertisement सब्सक्राइब करें

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.