For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

Ahmedabad News: અમદાવાદ સિવિલમાં 11 માસનું બાળક તાવથી તડપતું રહ્યું પણ કોઈ ડોક્ટર તપાસવા ન આવ્યા, આખરે મોત

10:59 AM Nov 09, 2023 IST
ahmedabad news  અમદાવાદ સિવિલમાં 11 માસનું બાળક તાવથી તડપતું રહ્યું પણ કોઈ ડોક્ટર તપાસવા ન આવ્યા  આખરે મોત
Advertisement

Ahmedabad Child Fever News: અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલ (Civil Hospital)માં ગંભીર બેદરકારી સામે આવી છે. જેના કારણે 11 માસના એક માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. બાળકને ઓપરેશન માટે જૂનાગઢથી સિવિલમાં લવાયો હતો, પરિજનોને આરોપ છે કે કલાકો વીતી જવા છતાં તબીબો જ ન આવ્યા અને આખરે સારવારના અભાવે બાળકનું મોત થઈ ગયું.

Advertisement
Advertisement

જૂનાગઢથી પરિવાર સારવાર માટે લાવ્યો હતો

વિગતો મુજબ, જૂનાગઢના મેંદરડા નજીક સમઢિયાળા ખાતે રહેતા નરસિંહ પરમારના 11 મહિનાના પુત્ર માહિરને સિવિલમાં 1200 બેડ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અહીં 6 નવેમ્બરે તેનું ઓપરેશન થયું. જોકે ઓપરેશનના કલાકોમાં જ તેને તાવ આવવા લાગ્યો. પરિજનોનો આરોપ છે કે, ફરજ પરના નર્સને તાવ વિશે કહેતા જાતે તાવ માપી લેવા માટે કહ્યું. પરિવારે વારંવાર ડોક્ટરને બોલાવવા માટે વિનંતી કરી. પરંતુ સાંજે 6 વાગ્યા સુધી કોઈ ડોક્ટર ન આવ્યા અને બાળકનું મોત થઈ ગયું.

Advertisement
ADVERTSIEMENT

પરિજનોના તબીબો પર બેદરકારીના આરોપ

બાળકના મોત બાદ સિવિલના સુપ્રીટેન્ડન્ટ સમક્ષ જવાબદારો સામે પગલા ભરવા માટે માંગ કરી છે. પરિવારની ફરિયાદ બાદ સમગ્ર પ્રકરણની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. પરિજનોનો આરોપ છે કે, ઓપરેશન સમયે બાળકના પેટમાં કાણા પાડવામાં આવ્યા હતા. પરિવારે સીસીટીવી કેમેરામાં તપાસ કરવાની માંગ કરી છે. બાળકના મોતથી સિવિલમાં ભારે હોબાળો મચ્યો હતો.

Advertisement सब्सक्राइब करें

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.