For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

Asia cup 2023 final: એશિયા કપ ફાઈનલમાં વરસાદ! મેચ કેન્સલ થઈ તો કેવી રીતે મળશે ખિતાબ? જાણો પુરું ગણિત

04:18 PM Sep 16, 2023 IST
asia cup 2023 final  એશિયા કપ ફાઈનલમાં વરસાદ  મેચ કેન્સલ થઈ તો કેવી રીતે મળશે ખિતાબ  જાણો પુરું ગણિત
Advertisement

IND vs SL Asia Cup Final 2023 Weather Forecast Colombo: એશિયા કપ 2023ની ફાઈનલ ભારત અને શ્રીલંકા વચ્ચે 17 સપ્ટેમ્બરે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે શરૂ થશે. અને દર્શકો તેને ડિઝની હોટસ્ટાર એપ અને ડીડી સ્પોર્ટ્સ પર ફ્રીમાં જોઈ શકશે. 15 સપ્ટેમ્બરે ભારત બાંગ્લાદેશ સામે 6 રનથી હારી ગયું હતું. જ્યારે શ્રીલંકાએ સુપર ફોરની મેચમાં પાકિસ્તાનને 2 વિકેટે હરાવીને ફાઈનલ માટે પોતાની સીટ રિઝર્વ રાખી હતી. આ મેચમાં જો 17 સપ્ટેમ્બરે વરસાદ પડે છે તો 18 સપ્ટેમ્બરને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે.

Advertisement
Advertisement

રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ કોલંબોમાં યોજાનારી એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકા સામે પ્રબળ દાવેદાર હશે. ટીમ ઈન્ડિયા પાંચ વર્ષથી બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ જીતી શકી નથી તેથી તે એશિયા કપ જીતીને ટૂર્નામેન્ટમાં દુષ્કાળનો અંત લાવવા મરણિયા રહેશે. અક્ષર પટેલ ઈજાગ્રસ્ત છે, તેના સ્થાને ઓફ સ્પિનર ​​વોશિંગ્ટન સુંદરને બેકઅપ તરીકે બોલાવવામાં આવ્યો છે. શ્રીલંકાની ટીમ તેના મુખ્ય સ્પિનર ​​મહિષ તિક્ષાનાની સેવાઓ મેળવી શકશે નહીં, જે હેમસ્ટ્રિંગની ઈજાને કારણે બહાર છે.

Advertisement
ADVERTSIEMENT

કોલંબોમાં વરસાદની 90 ટકા શક્યતા

હવે જ્યારે રોહિત શર્મા એન્ડ કંપની અને દશુન શનાકા એન્ડ કંપની ફાઇનલમાં સામસામે ટકરાશે ત્યારે હવામાન કેવું રહેશે તેના પર તમામ દર્શકોની નજર રહેશે. આ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન વરસાદે રમતને ઘણી બગાડી છે. આવી સ્થિતિમાં શું ફાઈનલમાં પણ વરસાદની સંભાવના છે, આ સવાલ તમામ ચાહકોના મનમાં હશે.

Advertisement

ગણેશ ભક્તોની જીદ સામે સ્વામિનારાયણ સંતો ઝૂક્યા, રાજકોટના બાલાજી હનુમાન મંદિરમાં યોજાશે ગણેશ મહોત્સવ

રવિવારે કોલંબોમાં વરસાદની સંભાવના છે. AccuWeatherના અહેવાલ મુજબ, 17 સપ્ટેમ્બરે કોલંબોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. સવારે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે અને મેચ દરમિયાન પણ વરસાદ પડી શકે છે. જેમ જેમ મેચનો સમયગાળો વધે તેમ વરસાદ મેચમાં વિક્ષેપ પાડી શકે છે. તે જ સમયે, કોલંબોમાં 90 ટકા વરસાદ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

જો રિઝર્વ ડે પર પણ વરસાદ પડે તો...

જો રવિવાર (17 સપ્ટેમ્બર)ના રોજ ભારત અને શ્રીલંકા એશિયા કપ 2023ની ફાઇનલ મેચ વરસાદને કારણે રદ થાય છે, તો એશિયન ક્રિકેટ કાઉન્સિલે રિઝર્વ ડે (સોમવાર, 18 સપ્ટેમ્બર) રાખ્યો છે. જો રિઝર્વ દિવસે પણ વરસાદ પડે તો ભારત અને શ્રીલંકા બંનેને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. 2002ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાવાની હતી પરંતુ વરસાદને કારણે તે રદ્દ કરવી પડી હતી. ત્યારબાદ ભારત અને શ્રીલંકાને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

ભારતીય ટીમે સૌથી વધુ ટાઇટલ જીત્યા

એશિયા કપ (T20, ODI)ના ઈતિહાસમાં ભારતીય ટીમે સૌથી વધુ 7 વખત ખિતાબ જીત્યો છે. ભારતે 1984, 1988, 1990/91, 1995, 2010, 2016 અને 2018માં એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. બીજા સ્થાને શ્રીલંકા છે જેણે 6 વખત એશિયા કપ ટ્રોફી જીતી છે. શ્રીલંકાની ટીમ 1986, 1997, 2004, 2008, 2014 અને 2022માં એશિયા કપનો ખિતાબ જીતી ચૂકી છે. જ્યારે 2000 અને 2012માં એશિયા કપની ટ્રોફી પાકિસ્તાનના નામે હતી.

ભારતીય ટીમ 10મી વખત ફાઈનલ રમશે

આ વખતે ભારતીય ટીમ ODI એશિયા કપમાં 10મી વખત ફાઈનલ રમશે. ભારતીય ટીમ અત્યાર સુધી 9 માંથી 6 વખત ટાઈટલ જીતી ચુકી છે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે 2016માં એક વખત T20 એશિયા કપનો ખિતાબ પણ જીત્યો હતો.

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ 9 માંથી 8 વખત ઓડીઆઈ એશિયા કપની ફાઈનલ શ્રીલંકા સામે અને એક વખત બાંગ્લાદેશ સામે રમી ચુકી છે. ભારતીય ટીમ એશિયા કપની પ્રથમ ફાઈનલ 1984માં રમી હતી. ત્યાર બાદ ટૂર્નામેન્ટ યુએઈમાં યોજાઈ હતી, જેની ફાઇનલમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું હતું. છેલ્લી વખત ભારતીય ટીમ 2018માં ODI એશિયા કપની ફાઈનલ રમી હતી. દુબઈમાં રમાયેલી ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવીને ટાઈટલ જીત્યું હતું.

એશિયા કપ 2023માં ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ના.

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.