For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

Surat News: જે ઘરમાં 40 વર્ષથી નોકરાણી હતી, હવે એ જ માલિક અને માલકિન કરી રહ્યા છે નોકરાણીની સેવા

10:46 PM Sep 13, 2023 IST
surat news  જે ઘરમાં 40 વર્ષથી નોકરાણી હતી  હવે એ જ માલિક અને માલકિન કરી રહ્યા છે નોકરાણીની સેવા
Advertisement

Surat News: આજના યુગમાં બાળકો પોતે જ તેમના વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખી શકતા નથી અને તેમને વૃદ્ધાશ્રમમાં મોકલી દેવાની ઘટનાઓ પણ બનતી હોય છે. ગુજરાતના સુરત શહેરમાં એક વિપરીત કિસ્સો સામે આવ્યો છે. જ્યાં માનવતા અને પ્રેમને આપ રીતસર અનુભવી શકો છો. આ ઘટનામાં એક મહિલા કે જે 40 વર્ષથી જે ઘરમાં નોકરાણી તરીકે કામ કરતા હતા. તે જ મહિલાની સેવા ચાકરી હવે તેમના જ માલિકો દ્વારા કરવામાં આવી રહી છે.

Advertisement
Advertisement

Ambaji Bhadarvi Poonam Update: અંબાજીમાં મેળા અગાઉ દબાણ હટાવવાની કામગીરી, મહિલા રડી પડી

સમગ્ર પરિવાર રાખી રહ્યો છે સાર સંભાળ

શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા પટેલ પરિવારની એક મહિલા છેલ્લા 40 વર્ષથી નોકરાણી તરીકે કામ કરતી હતી. યુવાનીના સમયથી પટેલ પરિવારમાં નોકરાણી તરીકે કામ કરતી આ મહિલા હવે ઉંમર વધતાં વૃદ્ધ મહિલા બની ગઈ છે. નોકરાણી રાજુલબેન ગામીત કે જેઓ આશરે 85 વર્ષના છે. તેઓ થોડા સમય પહેલા ઘરમાં પડી જતાં તેમને ટૂંકી પડી હતી. પટેલ પરિવારે તેની હોસ્પિટલમાં સારવાર કરાવી પરંતુ તે ચાલી શકતા નથી. પટેલ પરિવાર તેમની નોકરાણી રાજુલબેન ગામિતને ઘરે લઈ આવ્યો અને રમેશભાઈ પટેલ અને પત્ની ગીતાબેન પટેલ પરિવારના સભ્યો તરીકે સેવા આપી રહ્યા છે. ઘરની નોકરાણી રાજુલ બેન ગેમ્બીટની શારીરિક સ્થિતિ જોઈને, પટેલ પરિવાર તેના મૃત્યુની ચિંતા કરવા લાગ્યો કારણ કે તેમની પાસે તેના નામના કોઈ દસ્તાવેજો નહોતા. આ ચિંતા સાથે તેઓ રાંદેર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પટેલ પરિવારની વાત સાંભળ્યા બાદ પોલીસ પણ તેમની સેવાકીય કામગીરીમાં જોડાઈ હતી અને સ્થાનિક કાઉન્સિલરની મદદથી વૃદ્ધ નોકરાણીના તમામ દસ્તાવેજો મેળવ્યા હતા. ત્યારબાદ જ આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

Advertisement
ADVERTSIEMENT

આમ, આ પરિવારની કહાની ખરેખર માનવતા અને પ્રેમની એવી કહાની છે કે જે અન્યોને પણ માનવધર્મ નિભાવવાની પ્રેરણા આપનારી છે.

Advertisement

(સંજયસિંહ રાઠોડ, સુરત)
Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.