For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

Exclusive: સુરતમાં સામુહિક આપઘાત કેસમાં નવો વળાંક, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો

02:55 PM Oct 30, 2023 IST
exclusive  સુરતમાં સામુહિક આપઘાત કેસમાં નવો વળાંક  પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો
Advertisement

Surat News: સુરતના શ્રી સિદ્ધેશ્વર કોમ્પ્લેક્સમાંથી શનિવારે મૃત હાલતમાં મળી આવેલા એક જ પરિવારના 7 સભ્યોના મોતને લઈને મોટો ખુલાસો થયો છે. સામૂહિક આત્મહત્યાની આ ઘટનામાં મનીષ સોલંકીએ તેના પરિવારના સભ્યોને ઝેરી પદાર્થ ખવડાવીને ફાંસો ખાઈ લીધો હોવાનું પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યું હતું. પરંતુ વૃદ્ધ માતા-પુત્રીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બંનેના મોત ગળું દબાવવાથી થયા હોવાનું બહાર આવ્યું છે. મૃત્યુ પહેલા સુસાઇડ નોટમાં પણ જવાબદાર લોકોના નામ લખવામાં આવ્યા નથી. તો પછી સામૂહિક આત્મહત્યાનું કારણ શું હતું તે રહસ્ય જ રહ્યું.

Advertisement
Advertisement

એક જ ઘરમાંથી 7 મૃતદેહો મળી આવ્યા

હકીકતમાં, શનિવારે સવારે પાલનપુર પાટિયા વિસ્તારમાં શ્રી સિદ્ધેશ્વર કોમ્પ્લેક્સના સી-2 ટાવરના ફ્લેટ નંબર જી-1માંથી ઇન્ટિરિયર ડિઝાઇન બિઝનેસમેન મનીષ સોલંકી (37) તેની પત્ની રીટા બેન સોલંકી, પિતા કનુ સોલંકી, માતા શોભના સોલંકી, પુત્રી દિશા સોલંકી, કાવ્યા સોલંકી અને પુત્ર કુશલ સોલંકીના મૃતદેહ મળી આવ્યા હતા.

Advertisement
ADVERTSIEMENT

હોસ્પિટલમાંથી મૃતદેહોના પોસ્ટમોર્ટમમાં શું સામે આવ્યું?

પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. લગભગ 4 કલાક સુધી ચાલેલા પોસ્ટમોર્ટમ બાદ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. મૃતક મનીષ સોલંકી ઉપરાંત તેની પત્ની, બે પુત્રીઓ, એક નવજાત પુત્ર અને તેની વૃદ્ધ માતાના મૃતદેહમાંથી ઝેર મળી આવ્યું હતું. આ ઉપરાંત મૃતક મનીષ સોલંકીની મોટી પુત્રી અને તેની માતાના ગળા પર પણ ગળું દબાવવાના નિશાન જોવા મળ્યા હતા. આ અંગે તબીબની પેનલે પોલીસને હત્યા અંગે પ્રાથમિક રિપોર્ટ આપ્યો છે.

Advertisement सब्सक्राइब करें

ઝેર બાદ બચી ગયેલા માતા-મોટી પુત્રીનું ગળું દબાવ્યું

સુરત નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. કેતન નાયકે એક્સક્લુઝિવ વાતચીતમાં જણાવ્યું હતું કે, શનિવારે બપોરે લગભગ 3 થી 4 કલાક સુધી પોસ્ટમોર્ટમ ચાલ્યું હતું. સાત મૃતદેહો હતા. મનીષ સોલંકીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. બાકીના છ મૃતદેહોમાંથી, બેની ગરદન પર દબાણના નિશાન હતા, એટલે કે ગળું દબાવવામું આવ્યું હતું. બાકીના ચારનું ઓર્ગેનોકેમિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાથમિક દૃષ્ટિએ ઝેર હોવાનું જણાય છે. જ્યારે તેનો રિપોર્ટ આવશે ત્યારે મૃત્યુની અંતિમ માહિતી આપવામાં આવશે.

ડોક્ટરે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધવા ભલામણ કરી

એવી આશંકા છે કે આત્મહત્યા કરતા પહેલા ઈન્ટીરીયર ડીઝાઈનર મનીષ સોલંકીએ તેની પત્ની, બે પુત્રી, એક પુત્ર અને તેના વૃદ્ધ માતા-પિતાને દૂધમાં ઝેર ભેળવીને હત્યા કરી હશે અને ત્યાર બાદ બચી ગયેલી મોટી પુત્રી અને તેની માતાનું ગળું દબાવી હત્યા કરી હશે. પ્રાથમિક પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. પુત્રી અને માતાના ગળા પર મળી આવેલા દબાણના નિશાનના આધારે હોસ્પિટલના ડોક્ટરોએ આઈપીસી કલમ 302 હેઠળ એફઆઈઆર નોંધવાની ભલામણ કરી છે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સાતેય મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. બે મૃતદેહોનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. હવે સુરત પોલીસની તપાસમાં શું બહાર આવશે? આ જોવા જેવી વાત હશે. સૂત્રોએ માહિતી આપી છે કે પોલીસે સોલંકી પરિવારના ઘરેથી દૂધનો ડબ્બો અને ઝેરની બોટલ પણ મળી આવી છે.

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.