For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

સુરતના જ્વેલર્સને પુષ્ય નક્ષત્ર પર 'ચાંદી-ચાંદી', સોનું મોંઘું થવા છતા ખરીદી માટે ભીડ જામી

11:49 PM Nov 04, 2023 IST
સુરતના જ્વેલર્સને પુષ્ય નક્ષત્ર પર  ચાંદી ચાંદી   સોનું મોંઘું થવા છતા ખરીદી માટે ભીડ જામી
Advertisement

Surat News: પુષ્ય નક્ષત્ર સોનું અને ચાંદી ખરીદવા માટે શ્રેષ્ઠ સમય મનાય છે. આ દિવસે સોનું ખરીદવું અને સોનામાં રોકાણ કરવું શુભ માનવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પુષ્ય નક્ષત્રના શુભ મુહૂર્તમાં જ્વેલર્સની દુકાનો પર મોડી રાત્રે પણ દાગીના ખરીદવા લોકોની ભીડ જોવા મળી હતી. ગયા વર્ષની સરખામણીમાં સોનાના ભાવમાં વધારો થયો હોવા છતાં આ વર્ષે સુરતના ઝવેરીઓ પર મંદી કે ભાવ વધારાની કોઈ અસર જોવા મળી નથી.

Advertisement
Advertisement

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને દિવાળી બાદ હવે લગ્નની સિઝન પણ આવી રહી છે. અને મહિલાઓ તહેવારો અને પ્રસંગોએ સોનાના ઘરેણાં પહેરવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં, આ જ્વેલરી ખરીદવાનો શુભ સમય દિવાળી પહેલા આવતા પુષ્ય નક્ષત્રનો દિવસ છે. ખરીદી કરવા માટે લોકોની આ ભીડ મોડી રાત સુધી ઝવેરીઓ પર જોવા મળી હતી. સુરતના જ્વેલર્સના શોરૂમમાં એટલી ભીડ હતી કે લોકો ઘરેણાં ખરીદવાની રાહ જોઈને ઉભા હતા. જ્વેલર્સે જ્વેલરી પર સ્પેશિયલ ઑફર્સ સાથે જ્વેલરીની નવી ડિઝાઇન પણ બનાવી હતી.

Advertisement
ADVERTSIEMENT

જ્વેલરીના એડવાન્સ બુકિંગમાં 20-25 ટકાનો વધારો

પુષ્ય નક્ષત્રનો દિવસ આ વર્ષે પણ જ્વેલર્સ માટે તેજી લઈને આવ્યો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે સોનાના ભાવમાં વધારો થયો હોવા છતાં આ પુષ્ય નક્ષત્રના દિવસે ઘરેણાંની ખરીદીમાં પણ વધારો જોવા મળ્યો છે. એટલું જ નહીં પરંતુ ગત વર્ષની સરખામણીએ જ્વેલરીના એડવાન્સ બુકિંગમાં 20 થી 25 ટકાનો વધારો થયો હોવાનું સુરતના જ્વેલર્સ જણાવી રહ્યા છે.

Advertisement सब्सक्राइब करें

જ્વેલર્સની દુકાનો પર બપોરે પણ ભીડ જામી

પુષ્ય નક્ષત્રના દિવસે સારા મુહૂર્ત જોવા બપોરના સમયે જ્વેલર્સની દુકાનો પર ભીડ જોવા મળી હતી. અહીં લોકોની ભીડ જોઈને અંદાજો લગાવી શકાય છે કે સોનાના ભાવમાં ભલે મંદી હોય કે વધારો થાય, પરંતુ સુરતમાં દિવાળીના તહેવાર અને ખાસ કરીને પુષ્ય નક્ષત્ર પર તેની કોઈ ખાસ અસર જોવા મળી નથી.

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.