સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવતા જ ગૌતમ અદાણીએ દીકરાને સોંપી મોટી જવાબદારી, આ કંપનીમાં થયો ફેરબદલ

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gautam Adani News: સુપ્રીમ કોર્ટે બુધવારે ગૌતમ અદાણીને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો અને કહ્યું કે અદાણી-હિંડનબર્ગ કેસમાં માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા તપાસ યોગ્ય ટ્રેક પર છે. અત્યાર સુધીમાં, 24 માંથી 22 કેસમાં તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને કોર્ટે સેબીને બાકીના 2 આરોપોની તપાસ માટે 3 મહિનાનો સમય આપ્યો છે. અદાણી ગ્રુપને અત્યાર સુધીના તમામ કેસમાં રાહત મળી છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અદાણી ગ્રુપની એક કંપનીએ તેના બોર્ડમાં મોટો ફેરફાર કર્યો છે. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (અદાણી પોર્ટ) એ બુધવારે જાહેરાત કરી હતી કે, ગૌતમ અદાણીને એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે, કરણ અદાણીને એમડી તરીકે અને અશ્વિની ગુપ્તાને સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

500 કરોડ સુધીની મંજૂરી

અદાણી પોર્ટ્સે એમ પણ જણાવ્યું હતું કે, તેના બોર્ડે નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs) દ્વારા રૂ. 5,000 કરોડ સુધીનું ભંડોળ એકત્ર કરવાની મંજૂરી આપી છે. કંપનીએ ગૌતમ અદાણીને 4 જાન્યુઆરી, 2024 થી 30 જૂન, 2027 સુધી એક્ઝિક્યુટિવ ચેરમેન બનાવ્યા છે. કરણ અદાણીને 4 જાન્યુઆરી, 2024થી તેમના વર્તમાન કાર્યકાળના અંત સુધી એટલે કે 23 મે, 2027 સુધી એમડી બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

તેમને કંપનીના CEO બનાવવામાં આવ્યા હતા

કંપનીએ 4 જાન્યુઆરી, 2024થી કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે અશ્વિની ગુપ્તાની નિમણૂક પણ કરી છે. કંપનીએ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, નિમણૂક અંગેના બાકીના નિર્ણયો શેરધારકોની મંજૂરી પછી લેવામાં આવશે. તમામ શરતોને યથાવત રાખવામાં આવી છે અને કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નોમિનેશન અને રેમ્યુનરેશન કમિટીની ભલામણના આધારે આ ફેરફાર કર્યો છે.

શેરમાં આવ્યો ઉછાળો

સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા અને પછી અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. કેટલાક શેર 15 ટકા સુધીના ઉછાળા સાથે બંધ થયા છે. જ્યારે આજે એટલે કે બુધવારે અદાણી પોર્ટ 1.58% વધીને રૂ. 1,095.40 પ્રતિ શેર બંધ રહ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT