Adani માટે ખુશ ખબર, આ કંપનીએ કરી કમાલ, નફો 9 કરોડથી વધીને સીધો 2738 કરોડે પહોંચ્યો

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • ગૌતમ અદાણીની કંપની અદાણી પાવરે એક વર્ષમાં રોકાણકારોને ખુશ કરી દીધા છે.
  • અદાણી પાવરનો નફો 9 કરોડ રૂપિયાથી વધીને 2738 કરોડ રૂપિયાએ પહોંચ્યો છે.
  • હિંડનબર્ગના રિપોર્ટ સમયે અદાણી પાવરના શેર્સ 52 સપ્તાહની નીચી સપાટીએ હતા.

Adani Group News: વર્ષ 2023 અદાણી ગ્રુપ માટે સારું રહ્યું નથી. કારણ કે 24 જાન્યુઆરી, 2023ના રોજ અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગે (Hindenburg Report) પોતાના રિપોર્ટમાં અદાણી ગ્રુપની (Adani Group) કંપનીઓ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. જે બાદ અદાણી ગ્રુપના તમામ શેરોમાં ભૂકંપ આવી ગયો હતો. આ સમય બરાબર એક વર્ષ પહેલાનો હતો.

જો કે છેલ્લા એક વર્ષમાં અદાણી ગ્રુપના શેરમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. પરંતુ ઘણી કંપનીઓના શેર હજુ પણ હિન્ડેનબર્ગ રિપોર્ટ પહેલાના સ્તરથી 50 ટકા નીચે છે. જો કે, આ સમયગાળા દરમિયાન બે કંપનીઓએ મજબૂત વળતર આપ્યું છે, જે અદાણી પાવર અને અદાણી પોર્ટ્સ છે.

અદાણી પાવરનું શાનદાર રિટર્ન

25 જાન્યુઆરી, ગુરુવારે અદાણી પાવરે તેના ત્રીજા ક્વાર્ટરના પરિણામો રજૂ કર્યા હતા. કંપનીએ શાનદાર નફો કર્યો છે. શેરબજાર બંધ થયા બાદ કંપનીના પરિણામો આવ્યા છે, તેથી હવે સોમવારે તેની એક્શન માર્કેટમાં જોવા મળશે. અદાણી પાવરે નાણાકીય વર્ષ 2024 ના ત્રીજા ક્વાર્ટરમાં બમ્પર નફો કર્યો છે. કંપનીનો નફો વધીને રૂ. 2738 કરોડ થયો છે, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં માત્ર રૂ. 8.8 કરોડ હતો.

આ પણ વાંચો

ADVERTISEMENT

એટલું જ નહીં ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં 67 ટકાનો વધારો થયો છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં અદાણી પાવરની આવક રૂ.12,991.4 કરોડ રહી હતી, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. 7764.4 કરોડ હતી.

અદાણી પાવરના મેનેજમેન્ટમાં ફેરફાર

આ સાથે કંપની અદાણી પાવરના મેનેજમેન્ટમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. કંપનીએ નવા સીએફઓ દિલીપ કુમાર ઝાની નિમણૂક કરી છે, જેઓ 1 એપ્રિલ, 2024થી અદાણી પાવરના સીએફઓનું પદ સંભાળશે. તેઓ 2010થી અદાણી ગ્રુપ સાથે જોડાયેલા છે.

ADVERTISEMENT

એક વર્ષમાં ચાર ગણું રિટર્ન

અદાણી ગ્રૂપનો એકમાત્ર શેર અદાણી પાવરે એક વર્ષમાં જબરદસ્ત પાવર દર્શાવ્યો છે, જે દિવસે હિંડનબર્ગે અદાણી ગ્રૂપ સામે રિપોર્ટ પ્રકાશિત કર્યો તે દિવસે અદાણી પાવરનો શેર રૂ. 275 આસપાસ હતો. હિંડનબર્ગના આરોપો બાદ અદાણી ગ્રૂપની તમામ કંપનીઓના શેર ગગડવા લાગ્યા, જેના કારણે અદાણી પાવરનું સેન્ટિમેન્ટ પણ બગડ્યું. પછીના થોડા દિવસોમાં આ શેર ઘટીને રૂ. 132.40 થઈ ગયો હતો. પરંતુ તે પછી અદાણી પાવરના શેરે જોર પકડ્યું અને છેલ્લા એક વર્ષમાં તેણે પાછું વળીને જોયું નથી.

ADVERTISEMENT

અદાણી પાવરનો શેરનો 52 સપ્તાહનો સર્વોચ્ચ રૂ. 589.45 છે, તેનો 52 સપ્તાહનો નીચો ભાવ રૂ. 132.40 છે. એટલે કે આ શેરે એક વર્ષમાં ચાર ગણી કમાણી કરી છે. હાલમાં અદાણી પાવરના શેરની કિંમત રૂ. 544 છે, જેમાં ગુરુવારે 4.50 ટકાનો વધારો નોંધાયો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT