‘PoK ભારતનું છે, કોઈ એક ઈંચ જમીન પણ ન છીનવી શકે…’ સંસદમાં આર્ટિકલ 370 મુદ્દા પર બોલ્યા અમિત શાહ

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

Amit Shah on Article 370: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં સંબોધન કરતા કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું ,કે કોંગ્રેસ હજુ પણ કલમ 370 હટાવવાને ખોટું કહી રહી છે. સાથે જ તેમણે કહ્યું કે, કોંગ્રેસ સુપ્રીમ કોર્ટના નિર્ણયને યોગ્ય નથી માનતી. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના મોદી સરકારના નિર્ણયને માન્ય ગણાવ્યો છે. ચુકાદો સંભળાવતી વખતે CJI DY ચંદ્રચુડે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરને ભારતમાં વિલીનીકરણ બાદ આંતરિક સાર્વભૌમત્વનો અધિકાર નથી. કલમ 370 અસ્થાયી જોગવાઈ હતી.

‘ભારતની એક પણ ઈંચ જમીન જવા દઈશું નહીં’

અમિત શાહે રાજ્ય સભામાં કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના લોકોના અધિકારો 3 પરિવારોએ રોકી દીધા. તેમણે કહ્યું કે, PoK ભારતનું છે, તેને કોઈ છીનવી નહીં શકે. અમે ભારતની એક ઇંચ પણ જમીન જવા દઇશું નહીં. કલમ 370 અંગે તેમણે કહ્યું કે, તેનાથી અલગતાવાદને મજબૂતી મળી છે. ફરી એકવાર નહેરુનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, નેહરુએ અડધુ કાશ્મીર છોડી દીધું હતું. નેહરુના નિર્ણયને કારણે જમ્મુ-કાશ્મીરના વિલીનીકરણમાં વિલંબ થયો હતો.

કલમ 370 અન્ય રાજ્યોમાં કેમ લાગુ ન કરાઈ?

અમિત શાહે સવાલ ઉઠાવ્યો કે, કલમ 370 અન્ય રાજ્યમાં કેમ લાગુ કરવામાં આવી નથી. એ પણ પૂછ્યું કે જમ્મુ-કાશ્મીરમાં સેના મોકલવામાં વિલંબ કેમ થયો. નેહરુ પીઓકેનો મુદ્દો યુએનમાં કેમ લઈ ગયા?

આ પણ વાંચો

ADVERTISEMENT

કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, કોંગ્રેસ કોઈ સારા કામને સમર્થન આપતી નથી. ગૃહમંત્રીએ કહ્યું કે, અમારી સરકારે એવા યુવાનોના હાથમાં લેપટોપ આપ્યા છે જેઓ જમ્મુ-કાશ્મીરમાં પથ્થરો લઈને ફરતા હતા. અમે નિર્ણય લઈ શકીએ છીએ, ભાગી શકતા નથી. ઈતિહાસ 370ના નિર્ણયને યાદ રાખશે.

    follow whatsapp

    ADVERTISEMENT