Lok Sabha Election 2024: ‘ગઠબંધનથી પાર્ટીને નુકશાન’, લોકસભાની ચૂંટણીને લઈ માયાવતીની મોટી જાહેરાત

kenil somaiya

ADVERTISEMENT

gujarattak
social share
google news

Lok Sabha Election 2024: બસપા સુપ્રીમો માયાવતીએ આજે ​લખનઉમાં પોતાના જન્મદિવસ નિમિત્તે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા સમાજવાદી પાર્ટી તેમજ ભાજપ પર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન, તેમણે EVM અને INDIA બ્લોકનો ઉલ્લેખ કર્યો અને જાહેરાત કરી કે તેમની પાર્ટી BSP સમગ્ર દેશમાં એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે. માયાવતીએ કહ્યું કે તેમની પાર્ટીના સમર્થનને જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે.

બસપા એકલા હાથે ચૂંટણી લડશે

ગઠબંધનનો ઉલ્લેખ કરતા માયાવતીએ કહ્યું, ‘ગઠબંધન કરવાથી પાર્ટીને ફાયદો ઓછો પરંતુ નુકસાન વધુ થાય છે અને અમારી વોટ ટકાવારી પણ ઘટે છે અને અન્ય પાર્ટીઓને ફાયદો થાય છે. તેથી મોટાભાગની પાર્ટીઓ બસપા સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવા માંગે છે. અમારી પાર્ટી લોકસભાની ચૂંટણી એકલા હાથે લડીને વધુ સારા પરિણામો લાવશે. અમે એકલા ચૂંટણી લડીએ છીએ કારણ કે તેનું સર્વોચ્ચ નેતૃત્વ દલિતના હાથમાં છે. ગઠબંધન કરવાથી, બસપાનો આખો મત ગઠબંધન પક્ષને જાય છે, જ્યારે તે ગઠબંધનનો મત, ખાસ કરીને ઉચ્ચ જાતિના મત, બસપાને જતો નથી.

માયાવતીએ કહ્યું કે, બસપાએ યુપી વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડી છે અને સરકાર પણ એકલા હાથે બનવેલી છે. તેમણે કહ્યું કે બસપા કોઈને મફતમાં સમર્થન નહીં આપે પરંતુ ચૂંટણી પછી ગઠબંધન વિશે વિચારી શકે છે. માયાવતીએ કહ્યું કે, અમારી પાર્ટી દેશમાં ટૂંક સમયમાં જાહેર થનારી લોકસભાની ચૂંટણી દલિતો, આદિવાસીઓ, અત્યંત પછાત મુસ્લિમો અને લઘુમતીઓના બળ પર એકલા હાથે લડશે.

આ પણ વાંચો

ADVERTISEMENT

પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ વિષે બોલી માયાવતી

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા માટેના આમંત્રણ પર માયાવતીએ કહ્યું, ‘મને આમંત્રણ મળ્યું છે, પાર્ટીના કામમાં વ્યસ્ત હોવાથી મેં ત્યાં જવાનો નિર્ણય કર્યો નથી. પરંતુ જે પણ કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે તેની સામે અમને કોઈ વાંધો નથી, અમે તેને આવકારીએ છીએ, જો ભવિષ્યમાં બાબરી અંગે કંઈ થશે તો અમે તેને પણ આવકારીશું.

    follow whatsapp

    ADVERTISEMENT