Latest News: વોટ્સએપથી લઈને પ્રસાદ સુધી….રામ મંદિરના નામે સાયબર ઠગાઈ, જાણી લેજો નહીંતર પાછળથી પસ્તાશો

kenil somaiya

ADVERTISEMENT

gujarattak
social share
google news

Scams surrounding Ram Mandir inauguration: 22 જાન્યુઆરીએ રામ મંદિરના અભિષેક સમારોહના કાર્યક્રમને હવે થોડા દિવસ બાકી છે. આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી, સચિત તેંડુલકર, અમિતાભ બચ્ચન સહિત દેશની ઘણી મોટી હસ્તીઓ ભાગ લેશે. આ દિવસને તહેવારની જેમ ઉજવવા દેશભરમાં તૈયારીઓ ચાલી રહી છે. એવામાં આ કાર્યક્રમ વચ્ચે સ્કેમર્સની ટુકડીઓ પણ એક્ટિવ જોવા મળી રહી છે. આ વખતે સ્કેમર્સ લોકોની લાગણીનો ફાયદો ઉઠાવીને તેમની સાથે છેતરપિંડી કરી રહ્યા છે. ઓનલાઈન માર્કેટમાં આવા અનેક કૌભાંડો ચાલી રહ્યા છે, જેમાં રામ મંદિરના નામે લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે. વોટ્સએપથી લઈને રામ મંદિર પ્રસાદ સુધી સ્કેમર્સ લોકોને છેતરવાની તૈયારીમાં વ્યસ્ત છે. તો ચાલો જાણીએ આવા જ કેટલાક કૌભાંડો વિશે જે તમારા વિશ્વાસનો ફાયદો ઉઠાવી શકે છે.

1. વોટ્સએપ પર ચાલી રહ્યું છે VIP આમંત્રણ કૌભાંડ

ઘણા યુઝર્સે દાવો કર્યો છે કે તેમને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના વીઆઈપી એક્સેસનો મેસેજ મળી રહ્યો છે. આ મેસેજમાં તેમને APK ફાઈલ મોકલવામાં આવી રહી છે. જોકે, સાયબર સિક્યોરિટી એક્સપર્ટ લોકોને આવી ફાઈલો વિશે સાવધાન કરી રહ્યા છે. આવી ફાઇલો ડાઉનલોડ કરવાને કારણે તમારો ફોન હેક થઈ શકે છે. આવા મેસેજ પર ક્લિક ન કરવું સારું રહેશે. સાયબર સિક્યોરિટી એક્સપર્ટ પવન દુગ્ગલનું કહેવું છે કે એપીકે ફાઇલ્સ સુરક્ષા માટે મોટી ચિંતા છે. યુઝર્સે આવા સાયબર ધમકીઓ સામે સાવધાન રહેવું જોઈએ.

આ પણ વાંચો

ADVERTISEMENT

2. QR કોડ કૌભાંડ

ઘણા વપરાશકર્તાઓને QR કોડ મળી રહ્યા છે. આ QR કોડ રામ જન્મભૂમિ ટ્રસ્ટના નામે મોકલવામાં આવી રહ્યા છે. યુઝર્સને આ QR કોડ સ્કેન કરીને મંદિરના નામે દાન આપવા માટે કહેવામાં આવી રહ્યું છે. જો કે, અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે તેઓએ આવી કોઈ દાન યોજના શરૂ કરી નથી. આ પણ છેતરપિંડી કરનારાઓનું નવું કાવતરું છે.

ADVERTISEMENT

3. મફત પ્રસાદ કૌભાંડ

ઘણા કન્ટેન્ટ ક્રિએટર્સ પણ જાણતા-અજાણતા આ પ્રકારના કૌભાંડનો પ્રચાર કરી રહ્યા છે. તમે ઘણી રીલ્સમાં જોયું જ હશે કે લોકો ફ્રી ઑફર્સ માટે વેબસાઇટ વિશે જણાવે છે. ખાદી ઓર્ગેનિક નામની વેબસાઈટ યુઝર્સને ફ્રી પ્રસાદ પહોંચાડવાનો દાવો કરી રહી છે. જોકે, આ વેબસાઈટ ડિલિવરી માટે 51 રૂપિયા ચાર્જ કરી રહી છે. કંપની કહી રહી છે કે તે સાચું છે, પરંતુ મંદિર ટ્રસ્ટ દ્વારા આવી કોઈ સત્તાવાર યોજના વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. વિશ્વ હિન્દુ પરિષદના નેતા વિનોદ બંસલે લોકોને ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે કોઈપણ વેબસાઈટ આ રીતે પ્રસાદ વેચી શકે નહીં.

ADVERTISEMENT

4. ઑનલાઇન ડિલિવરી એગ્રીગેટર કૌભાંડ

ઓનલાઈન એગ્રીગેટર્સ પણ આવા કૌભાંડોનો ભોગ બની રહ્યા છે. રામ મંદિર જન્મભૂમિ ટ્રસ્ટના નામે અનેક પ્રોડક્ટ્સ વેચાઈ રહી છે. આવી કોઈપણ પ્રોડક્ટ ખરીદતા પહેલા તે જ ચેક કરો. આ તમામ પ્લેટફોર્મ 22 જાન્યુઆરીએ અથવા તે પછી પ્રસાદ પહોંચાડવાની વાત કરી રહ્યા છે. અમારી સલાહ છે કે તમે આવા કૌભાંડોનો શિકાર ન થાઓ. સત્તાવાળાઓ લોકોને આવા કૌભાંડો વિશે ચેતવણી પણ આપી રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT