Arvind Kejriwal વિપશ્યના શિબિર માટે રવાના, 31 ડિસેમ્બરે ED સમક્ષ પૂછપરછ માટે હાજર નહીં થાય

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

Arvind Kejriwal News: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) વિપશ્યના માટે રવાના થઈ ગયા છે. કથિત દારૂ પોલિસી કૌભાંડ કેસમાં EDએ તેમને 21 ડિસેમ્બરે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. દિલ્હીના સીએમ પહેલાથી જ નિર્ધારિત વિપશ્યના કાર્યક્રમમાં 30 ડિસેમ્બર સુધી હાજર રહેશે અને તેઓ ED સમક્ષ હાજર થઈ શકશે નહીં. આ સતત બીજી વખત છે જ્યારે અરવિંદ કેજરીવાલ EDના સમન્સ પર પૂછપરછમાં હાજર રહેશે નહીં.

EDએ 18 ડિસેમ્બરે પાઠવ્યું હતું સમન્સ

તમને જણાવી દઈએ કે આ વર્ષે 16 એપ્રિલે EDએ દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની લગભગ 9 કલાક પૂછપરછ કરી હતી. કેન્દ્રીય એજન્સીએ તેમને 2 નવેમ્બરે ફરી પૂછપરછ માટે સમન્સ જારી કર્યા હતા, પરંતુ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં વ્યસ્ત હોવાને કારણે તેઓ ED સમક્ષ હાજર થયા ન હતા. આ પછી, 18 ડિસેમ્બરે, EDએ તેમને ફરીથી સમન્સ જારી કર્યા અને 21 ડિસેમ્બરે હાજર થવા કહ્યું.

પહેલાથી નક્કી હતો વિપશ્યનાનો કાર્યક્રમ

આમ આદમી પાર્ટી અનુસાર, CM કેજરીવાલનો વિપશ્યના કેમ્પમાં જવાનો કાર્યક્રમ પહેલાથી જ નક્કી હતો, તેથી તેઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સમન્સ પર ઉપલબ્ધ રહેશે નહીં. વાસ્તવમાં, વિપશ્યના એ એક પ્રાચીન ભારતીય ધ્યાન પદ્ધતિ છે, જે લોકો તેનો અભ્યાસ કરે છે, તેઓ થોડા સમય માટે દુનિયાથી અલગ થઈ જાય છે અને એકાંતમાં રહે છે. તમે તેને એક પ્રકારનો યોગાભ્યાસ પણ કહી શકો, જેમાં તમે કોઈની સાથે સંવાદ કે સંકેતો દ્વારા વાત કરી શકતા નથી.

આ પણ વાંચો

ADVERTISEMENT

શું હોય છે વિપશ્યના?

વિપશ્યનાનો અર્થ છે ‘વસ્તુઓને એવી રીતે જોવી જેવી રીતે તે વાસ્તવમાં છે’. તેને આત્મનિરીક્ષણ અને આત્મશુદ્ધિની શ્રેષ્ઠ પદ્ધતિ માનવામાં આવે છે. લોકો વિપશ્યના કેન્દ્રમાં રહીને માનસિક ધ્યાન કરે છે. ધ્યાનની આ પદ્ધતિ વ્યક્તિના માનસિક જોમ અને એકાગ્રતાની કસોટી કરે છે. તે તેની મજબૂત ઇચ્છાશક્તિની પણ કસોટી કરે છે. વિપશ્યનામાં ઊંઘ, જાગવા, ધ્યાન અને ખોરાક લેવાનું પણ નક્કી કરવામાં આવે છે અને આ એક પડકારથી ઓછું નથી.

    follow whatsapp

    ADVERTISEMENT