કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર, મુકુલ વાસનિકને ગુજરાત, તો ભરતસિંહને કાશ્મીરની જવાબદારી સોંપાઈ

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gujarat Congress News: આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રિયંકા ગાંધી, જેઓ અત્યાર સુધી ઉત્તર પ્રદેશના પ્રભારી પદ પર હતા, તેમના સ્થાને અવિનાશ પાંડેની નિમણૂક કરવામાં આવી છે. હવે અવિનાશ પાંડે યુપીના પ્રભારી હશે. સચિન પાયલટને છત્તીસગઢમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. સમાચાર અનુસાર, સચિન પાયલટને છત્તીસગઢના પ્રભારી જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો ગુજરાત કોંગ્રેસના સીનિયર નેતા ભરતસિંહ સોલંકીને જમ્મુ-કાશ્મીરના ઈન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. તો મુકુલ વાસનિકને ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવાયા છે.

પ્રિયંકા ગાંધી પાસે કોઈ પોર્ટફોલિયો નથી

સંગઠનમાં આ ફેરબદલ વચ્ચે પ્રિયંકા ગાંધીને હજુ સુધી કોઈ પોર્ટફોલિયો આપવામાં આવ્યો નથી. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ મુકુલ વાસનિકને ગુજરાત મોકલવામાં આવ્યા છે, જ્યારે જીતેન્દ્ર સિંહને આસામ અને મધ્યપ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. રણદીપ સિંહ સુરજેવાલાને કર્ણાટક અને દીપક બાબરિયાને દિલ્હી-હરિયાણાનો હવાલો મળ્યો છે. કુમારી સેલજાને ઉત્તરાખંડ મોકલવામાં આવ્યા છે. સંગઠનમાં સંચારની જવાબદારી વરિષ્ઠ નેતા જયરામ રમેશ પર આવી ગઈ છે અને કેસી વેણુગોપાલ સંગઠન જોશે.

CWCની મહત્વની બેઠક 21 ડિસેમ્બરે યોજાઈ હતી

તમને જણાવી દઈએ કે ગત 21 ડિસેમ્બરે જ કોંગ્રેસ વર્કિંગ કમિટીની એક મોટી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોમાં હિન્દી બેલ્ટના ત્રણ રાજ્યોની હાર અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને આ હારની સમીક્ષા પણ કરવામાં આવી હતી. આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અને અન્યોએ પણ ભાગ લીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ જ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી માટે શું રણનીતિ હશે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો

ADVERTISEMENT

સોનિયા ગાંધીએ આ કહ્યું?

આ બેઠકમાં હાજર રહેલા સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ વિધાનસભા ચૂંટણીના પરિણામોને અત્યંત નિરાશાજનક ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, “છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો અમારી પાર્ટી માટે ખૂબ જ નિરાશાજનક રહ્યા છે, આને અમારા સંગઠન માટે ઓછું જ કહેવું જોઈએ. અમારા નબળા પ્રદર્શનના કારણોને સમજવા અને જરૂરી બોધપાઠ લેવા માટે કૉંગ્રેસ અધ્યક્ષ દ્વારા સમીક્ષા કરવામાં આવી ચૂકી છે.”

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT