વર્લ્ડકપ ફાઈનલ હારતા મેદાન પર જ ભાવુક થયો રોહિત શર્મા, PM મોદીએ કહ્યું- અમે હંમેશા તમારી સાથે

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

World Cup 2023: ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારતને હરાવીને તેનું છઠ્ઠું ODI વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું છે. છેલ્લા 10 વર્ષમાં ICC નોકઆઉટમાં ટીમ ઈન્ડિયાની આ આઠમી હાર છે. આ વર્ષે ભારતીય ટીમ સતત બીજી ICC નોકઆઉટ મેચ હારી છે. ઓસ્ટ્રેલિયાનું આ 10મું ICC ટાઇટલ હતું. આ હાર બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઘણો નિરાશ દેખાઈ રહ્યો હતો અને મેદાન છોડતી વખતે પોતાના આંસુ રોકી શક્યો ન હતો. મોહમ્મદ સિરાજ, વિરાટ કોહલી પણ મેચ હારતા મેદાન પર ભાવુક થઈ ગયા હતા.

રોહિત આંસુ રોકી ન શક્યો

ટીમ ઈન્ડિયાની હાર બાદ રોહિત શર્મા ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યો હતો. મેદાન છોડતી વખતે તે ભીની આંખો સાથે બધાને મળ્યો અને મેદાન છોડતી વખતે તેના આંસુ રોકાયા નહોતા. તે મોઢું નમાવીને મેદાનની બહાર નીકળી ગયો અને પોતાની ભાવનાઓને કાબૂમાં રાખી શક્યો નહીં. તેનો આંસુ સાથે મેદાન છોડતો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 6 વિકેટે હરાવ્યું હતું.

આ પણ વાંચો

ADVERTISEMENT

PM મોદીએ ટ્વીટ કરીને ટીમ ઈન્ડિયા માટે શું કહ્યું?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું, ‘વર્લ્ડ કપની મહાન જીત પર ઓસ્ટ્રેલિયાને અભિનંદન! સમગ્ર ટુર્નામેન્ટમાં તેમનું પ્રદર્શન પ્રશંસનીય હતું, જે એક શાનદાર વિજયમાં પરિણમ્યું હતું. ટ્રેવિસ હેડને આજે તેના નોંધપાત્ર નાટક બદલ અભિનંદન.

ADVERTISEMENT

ADVERTISEMENT

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની બીજી પોસ્ટમાં લખ્યું, ‘પ્રિય ટીમ ઈન્ડિયા, વર્લ્ડ કપ દરમિયાન તમારી પ્રતિભા અને દૃઢ નિશ્ચય અદ્ભુત હતો. તમે ખૂબ જ ભાવના સાથે રમ્યા અને દેશને ગૌરવ અપાવ્યું. અમે આજે અને હંમેશા તમારી સાથે છીએ.

    follow whatsapp

    ADVERTISEMENT