IPL 2024: MI અને RCB હજુ પણ પ્લેઓફ કરી શકે છે ક્વોલિફાય? જાણો શું છે સમીકરણ

ADVERTISEMENT

IPL playoffs
MI અને RCB હજુ પણ પ્લેઓફ કરી શકે છે ક્વોલિફાય?
social share
google news

IPL playoffs scenario 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ જીતની હેટ્રિક લગાવી છે. શનિવારે (4 મે) ના રોજ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં RCBએ ગુજરાત ટાઇટન્સ (GT) ને 4 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે RCBએ પ્લેઓફમાં પહોંચવાની તકો અકબંધ રાખી હતી. જો કે, જીતની હેટ્રિક છતાં, RCBનો પ્લેઓફમાં પહોંચવાનો રસ્તો ઘણો મુશ્કેલ લાગે છે. ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની RCB પાસે હાલમાં 11 મેચમાંથી આઠ પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ હજુ પણ માઈનસ (-0.049)માં છે. જો RCB તેની બાકીની ત્રણ મેચ જીતી લે તો તે મહત્તમ 14 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. RCBએ પંજાબ કિંગ્સ (PBKS), દિલ્હી કેપિટલ્સ (DC) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે મેચ રમવાની છે.

Bank Of Baroda Bharti: બેંક ઓફ બરોડામાં ભરતી પ્રક્રિયા શરૂ, જુઓ પગારથી માંડીને તમામ જાણકારી

આ ચમત્કાર થાય તો RCB ની પ્લેઓફની ટિકિટ પાક્કી

પ્લેઓફમાં પહોંચવા માટે RCB એ બાકીની ત્રણેય મેચ જીતવી પડશે. ઉપરાંત, તેણે આશા રાખવી પડશે કે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અથવા લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એકથી વધુ મેચ ન જીતવી જોઈએ. હૈદરાબાદના 10 મેચમાં 12 પોઈન્ટ અને લખનૌના 11 મેચમાં 12 પોઈન્ટ છે. RCB એ એવી પણ આશા રાખવી પડશે કે ચેન્નાઈ સુપર કિંગ્સ એકથી વધુ મેચ ન જીતે અને દિલ્હી કેપિટલ્સ બેથી વધુ મેચ ન જીતે. CSKના 11 મેચમાં 12 પોઈન્ટ અને દિલ્હીના 11 મેચમાં 10 પોઈન્ટ છે. જો આમ થશે તો પાંચ ટીમો દરેક 14 પોઈન્ટ પર ટાઈ થઈ જશે, જેના કારણે નેટ રન રેટ મહત્વપૂર્ણ બની જશે. જોકે, RCB 12 પોઈન્ટ સાથે પણ પ્લેઓફમાં જગ્યા બનાવી શકે છે. જો RCB મેચ હારે છે તો તેણે આશા રાખવી પડશે કે દિલ્હી, ચેન્નાઈ, પંજાબ, લખનૌ અને હૈદરાબાદ 12થી વધુ પોઈન્ટ નહીં મેળવે, તો જ નેટ રન રેટના આધારે નિર્ણય લેવામાં આવશે.

મુંબઈ માટે પ્લેઓફનું સમીકરણ

પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ પણ પ્લેઓફની રેસમાંથી સંપૂર્ણપણે બહાર નથી. જોકે તેના માટે પ્લેઓફમાં પહોંચવું ઘણું મુશ્કેલ છે. મુંબઈ ઈન્ડિયન્સના 11 મેચમાં છ પોઈન્ટ છે અને તે મહત્તમ 12 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. મુંબઈએ સનરાઈઝર્સ હૈદરાબાદ, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચ જીતવી પડશે.તેમજ મુંબઈ ઈન્ડિયન્સને આશા રાખવી પડશે કે સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વર્તમાન સિઝનમાં એક પણ જીત મેળવી શકશે નહીં. એ જ રીતે તેવી આશા કરવી પડશે કે ચેન્નાઈ સુપર કિંગ્સ હવે તેની બાકીની ત્રણેય મેચ હારી જાય. ઉપરાંત, દિલ્હી કેપિટલ્સે એકથી વધુ જીત મેળવવી જોઈએ નહીં. જ્યારે પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સે બેથી વધુ જીત હાંસલ કરવી જોઈએ નહીં. જો આમ થશે તો છ ટીમોના સમાન 12 પોઈન્ટ હશે અને નિર્ણય નેટ રન રેટ દ્વારા લેવામાં આવશે.
 

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT