ક્રિકેટથી દૂર Ishan Kishan ગુજરાતમાં અહીં પ્રેક્ટિસ કરતા દેખાયો, BCCI નારાજ, સેન્ટ્રલ કોન્ટ્રાક્ટથી બહાર થઈ શકે

Yogesh Gajjar

ADVERTISEMENT

Ishan Kishan
Ishan Kishan
social share
google news
  • ક્રિકેટર ઈશાન કિશને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી થોડા સમય માટે બ્રેક લીધો છે.
  • ક્રિકેટથી બ્રેક વચ્ચે હવે ઈશાન કિશન બરોડામાં હાર્દિક પંડ્યા સાથે પ્રેક્ટિસ કરી રહ્યો છે.
  • હવે ઈશાન સીધો IPL 2024માં જ રમતો જોવા મળી શકે છે.

Ishan Kishan in Team India: સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન (Ishan Kishan) હાલમાં ભારતીય ટીમની (Team India) બહાર છે. તેણે નવેમ્બર 2023માં ઓસ્ટ્રેલિયા સામે ટી20 શ્રેણી રમી હતી. આ પછી, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સહિત ટીમ મેનેજમેન્ટને ઈશાન અને તેની આગામી યોજનાઓ વિશે કંઈ ખબર નહોતી.

પરંતુ હવે ઈશાન મળી ગયો છે. ક્રિકબઝના અહેવાલ મુજબ, ઈશાન હાલમાં બરોડાની કિરણ મોર એકેડમીમાં હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા સાથે પ્રેક્ટિસ કરી રહ્યો છે. હાર્દિક ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન છે. આ ટીમમાં ઈશાન પણ રમે છે.

ઈશાને પોતે ક્રિકેટમાંથી બ્રેક લીધો છે

આવી સ્થિતિમાં માનવામાં આવી રહ્યું છે કે, ઈશાન કિશન હવે સીધો IPLમાં રમતા જોવા મળશે. જોકે, તેણે આ અંગે કોઈને કોઈ માહિતી આપી નથી. ભારતીય ટીમ મેનેજમેન્ટ અને કોચ રાહુલ દ્રવિડ બંને ઈશાન વિશે કંઈ જાણતા નથી.

આ પણ વાંચો

ADVERTISEMENT

હાલમાં જ જ્યારે દ્રવિડને ઈશાન વિશે પૂછવામાં આવ્યું તો તેણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ઈશાને પોતે ક્રિકેટમાંથી બ્રેક લીધો છે. તેણે કહ્યું કે, ઇશાનના કમબેક પર જ બધુ નિર્ભર છે. કોચે કહ્યું હતું કે ઈશાન ટીમમાં પરત ફરવા માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવા માંગે છે.

ઈશાન ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ ધ્યાન નથી આપી રહ્યો

જો કે બીજી તરફ હાલમાં રણજી ટ્રોફી ટૂર્નામેન્ટ રમાઈ રહી છે, જેમાં ઝારખંડ તરફથી રમતા ઈશાન ટીમમાં જોવા મળ્યો ન હતો. આવી સ્થિતિમાં બીસીસીઆઈ અને ઝારખંડ ક્રિકેટ એસોસિએશન (જેસીએ)ને ઈશાનની આગામી યોજના વિશે ખબર નથી. ઈશાને JCAને પણ જણાવ્યું નથી કે તે ડોમેસ્ટિક ક્રિકેટ રમશે કે નહીં.

ADVERTISEMENT

પરંતુ આ બધાની વચ્ચે ઈશાન હવે બરોડામાં જોવા મળ્યો છે. તે ઝારખંડ માટે ઘરેલુ ક્રિકેટ રમવાનો પણ સતત ઇનકાર કરી રહ્યો છે. ઉપરાંત, તે ભારતીય ટીમ મેનેજમેન્ટના સંપર્કમાં નથી. આવી સ્થિતિમાં જો રિપોર્ટ્સનું માનીએ તો બીસીસીઆઈને ઈશાનનું આ વલણ પસંદ નથી આવી રહ્યું.

ADVERTISEMENT

BCCI કરારમાંથી બહાર નીકળી શકે છે

આવી સ્થિતિમાં ઈશાન કિશનના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પર પણ અસર પડી શકે છે. બીસીસીઆઈ તેને તેના કરારમાંથી મુક્ત કરવા પર પણ વિચાર કરી શકે છે, કારણ કે તે લાંબા સમયથી ભારતીય ટીમથી દૂર છે. આ ઉપરાંત ડોમેસ્ટિક ક્રિકેટને પણ મહત્વ આપવામાં આવી રહ્યું નથી. તમને જણાવી દઈએ કે હાલમાં ઈશાન સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની સી-કેટેગરીમાં છે. તેના બદલામાં તેને વાર્ષિક 1 કરોડ રૂપિયા મળે છે.

    follow whatsapp

    ADVERTISEMENT