“India vs South Africa Match News: ઈશાન કિશન પાસે રોહિત શર્માએ અય્યર-કોહલીને માટે શું મેસેજ મોકલાવ્યો? જે જીતનું કારણ બન્યો “

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

IND vs SA World Cup Match Update: ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023માં સતત 8મી જીત હાંસલ કરી છે. ઈડન ગાર્ડન્સમાં રોહિત સેનાએ દક્ષિણ આફ્રિકાને આસાનીથી હરાવ્યું હતું. આ મેચમાં ભારતને 243 રનથી મોટી જીત મળી હતી. એક સમયે ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં જોવા મળી રહી હતી. બેટિંગ દરમિયાન 11મીથી 25મી ઓવરની વચ્ચે ભારતીય બેટ્સમેનો 15 ઓવરમાં માત્ર

રોહિત અને દ્રવિડે ઈશાનને મોકલ્યો

જ્યારે વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર બેટિંગ કરી રહ્યા હતા ત્યારે રોહિત શર્માએ ઈશાન કિશનને મેસેન્જર તરીકે મેદાન પર મોકલ્યો હતો. ઈશાન જ્યારે ડ્રિંક્સ લઈને આવ્યો તે પહેલા રાહુલ દ્રવિડ અને રોહિત શર્મા તેની સાથે લાંબા સમય સુધી વાત કરતા હતા. તે ઈશાનને ઘણું બધું કહેતા જોવા મળ્યો હતો. આ પછી તરત જ ઈશાન મેદાનમાં જાય છે અને કોહલી અને ઐયરને કેપ્ટન અને કોચનો મેસેજ આપે છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

ઈશાને શું કહ્યું?

શ્રેયસ અય્યરે મેચ બાદ ખુલાસો કર્યો હતો કે ટીમ મેનેજમેન્ટ દ્વારા તેને શું સંદેશ મોકલવામાં આવ્યો હતો. અય્યરે કહ્યું, ‘અધવચ્ચે સંદેશ મોકલવા માટે કેપ્ટન રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટનો આભાર કારણ કે તે સમયે હું થોડો ચિંતિત હતો પરંતુ તેઓએ અમને મેચમાં સમજદારીપૂર્વક બેટિંગ કરવા કહ્યું. આનાથી મને મેચ દરમિયાન ઘણી મદદ મળી. વિરાટ કોહલીએ પણ મેચ બાદ કહ્યું હતું કે ટીમ મેનેજમેન્ટે તેને અંત સુધી રહેવાનો સંદેશ આપ્યો હતો.

ADVERTISEMENT

અય્યર અને વિરાટે 135 રન જોડ્યા

શ્રેયસ અય્યર અને વિરાટ કોહલી વચ્ચે 135 રનની ભાગીદારી થઈ હતી. અય્યરે 87 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 77 રન બનાવ્યા હતા. તે સદી ચૂકી ગયો પરંતુ આઉટ થતા પહેલા ભારતીય ટીમને મજબૂત સ્થિતિમાં લઈ ગયો. જ્યારે વિરાટે અણનમ 101 રન બનાવ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT