Morbi: જાહેર મંચ પર ભોઠા પડ્યા ભાજપના MLA કાંતિલાલ અમૃતિયા, આગેવાનોએ સવાલ પૂછતા ચાલતી પકડી

ADVERTISEMENT

MLA Kantilal Amritiya
જાહેર મંચ પર ભોઠા પડ્યા ભાજપના MLA કાંતિલાલ અમૃતિયા
social share
google news

Morbi Kanti Amrutiya News: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 7 મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. જેથી ભાજપ, કોંગ્રેસ અને AAPના નેતાઓ પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. રાજકીય પક્ષોના ઉમેદવારો ધાર્મિક, સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપીને મતદારોને આકર્ષવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ વચ્ચે મોરબી-માળીયાના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા (Kanti Amrutiya) અને મોરબી-કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા (Vinod Chavda)એ મોરબી સતવારા સમાજ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન જાહેર મંચ પર જ એક આગેવાને ધારાસભ્યને કહી દીધું કે 'તમે 2 વર્ષથી ધક્કા ખવડાવો છો, હવે આશા રાખીએ ધક્કા ન ખવડાવો અને કામ કરો' આ દરમિયાન ધારાસભ્ય કાંતિલાલે તેમના હાથમાંથી માઈક ખેંચી લીધું હતું.

વિકાસનો મુદ્દો ધાર્મિક કાર્યક્રમમાં ગુંજ્યો

મોરબીમાં સતવારા સમાજ દ્વારા શક્તિધામ ખાતે ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને કચ્છ-મોરબી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા પહોંચ્યા હતા. આ દરમિયાન સ્ટેજ પર જ મોરબીમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયાને આગેવાનોએ સીધા સવાલો કર્યા હતા. સતવારા સમાજના આગેવાનોએ જાહેર મંચ પર ધારાસભ્યની સમક્ષ લાઈટ કનેક્શન, ભૂગર્ભ ગટરના કામે સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા અને વહેલી તકે કામ કરાવી આપજો તેવી અપીલ કરી હતી. 

આ પણ વાંચો

ADVERTISEMENT

જાહેર મંચ પરથી MLAને પૂછ્યા સવાલો 

જેના પર કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે, કામ હાલ ચાલું જ છે, ભૂગર્ભ ગટર-પાણીની લાઈનનું કામ ચાલું છે, જેટલી વાળી બાકી હોય એની યાદી આપજો એટલે થઈ જશે. જો તમને નબળું કામ થાય તો બંધ કરાવી કરાવી દેજો. સાથે જ તેઓએ કહ્યું હતું કે કોઈપણ કામ હોય તો મારે ઘરે આવી શકો છો, વાડી-વિસ્તારના જે પ્રશ્નો હોય તેનું નિરાકરણ આપણે કરીશું. 

'2 વર્ષથી ધક્કા ખવડાવો છો'

'કોઈપણ કામ હોય તો મારે ઘરે આવી શકો છો' એવું ધારાસભ્યએ કહેતા જ એક આગેવાને કહ્યું હતું કે, 'બે વર્ષથી તો ધક્કા ખવડાવો છો, હવે આશા રાખીએ ધક્કા ન ખવડાવો અને કામ કરો' ત્યારે કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે, આચારસંહિતાના કારણે અત્યારે બોલવામાં મર્યાદા હોય કેમ કે વીડિયો ઉતરતો હોય. આ ધાર્મિક છે એટલે આપણે કંઈ ચર્ચા કરવી નથી. રાત્રે હું આવીશ અને આ મંદિર ઉપર બેસીને આપણે ચર્ચા કરીશું. આટલું કહ્યા બાદ ધારાસભ્ય કાંતિ અમૃતિયા, વિનોદ ચાવડા સહિતના આગેવાનો આ કાર્યક્રમમાંથી નીકળી ગયા હતા. જે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT