Coronavirus: ભારતમાં કોરોનાએ વધારી ચિંતા, એક જ દિવસમાં ડબલ થયા પોઝિટિવ કેસ; 4ના મોત

malay kotecha

ADVERTISEMENT

gujarattak
social share
google news

COVID-19 Updates: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 752 નવા કેસ નોંધાયા છે અને સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 3,420 થઈ ગઈ છે. ગઈકાલની સરખામણીમાં આ ડબલ કરતા પણ વધારે છે. તમને એ પણ જણાવી દઈએ કે, 21 મે, 2023 પછી એક દિવસમાં આવેલા કોરોના વાયરસ સંક્રમણના આ સૌથી વધુ કેસ છે.

છેલ્લા 24 કલાકમાં 4 લોકોના મોત

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં સામે આવેલા કોવિડ-19ના કેસની કુલ સંખ્યા 4.50 કરોડ (4,50,07,964) છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે ચાર લોકોના મોત થયા છે. જે બાદ આ મૃત્યુઆંક વધીને 5,33,332 થઈ ગયો છે.

રિકવરી રેટ 98.81 ટકા નોંધાયો

મંત્રાલયના આંકડા અનુસાર, કોવિડ 19ને કારણે છેલ્લા 24 કલાકમાં કેરળમાં 2 અને રાજસ્થાન અને કર્ણાટકમાં એક-એક દર્દીઓના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, આ બીમારીથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,44,71,212 થઈ ગઈ છે. રાષ્ટ્રીય રિકવરી રેટ 98.81 ટકા નોંધાયો છે. જ્યારે મૃત્યુદર 1.19 ટકા છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

220.67 કરોડ ડોઝ અપાયા

મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોરોના વિરોધી રસીકરણ અભિયાન હેઠળ 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. આંકડા અનુસાર, 58 દેશોમાં કોવિડ-19ના કુલ 22 હજાર 205 પોઝિટિવ કેસમાંથી 45 ટકા (9,930) સેમ્પલ BA.2.86 અથવા તેના JN.1ના પોઝિટિવ મળ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT