MPમાં હાર બાદ કોંગ્રેસનો મોટો નિર્ણય, કમલનાથને અધ્યક્ષ પદેથી હટાવ્યા, શું રાજસ્થાનમાં પણ થશે ફેરફાર?

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

MP Congress New Chief Jitu Patwari: મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં હાર બાદ કોંગ્રેસે સંગઠનમાં મોટા ફેરફારો કર્યા છે. પાર્ટીએ કમલનાથને MP કોંગ્રેસના અધ્યક્ષ પદેથી હટાવીને જીતુ પટવારીને નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. જ્યારે ઉમંગ સિંઘરને વિપક્ષના નેતા અને હેમંત કટારેને વિપક્ષના ઉપનેતાની જવાબદારી સોંપવામાં આવી છે. આ પહેલા ગોવિંદ સિંહ વિપક્ષના નેતા હતા.

પટવારી અને ઉમંગ બંને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કમલનાથ અને દિગ્વિજય સિંહના વિરોધી છાવણીમાંથી માનવામાં આવે છે. મધ્યપ્રદેશ ચૂંટણીમાં હાર બાદથી એવી વાતો ચાલી રહી હતી કે પાર્ટીમાં મોટા ફેરફારો થશે.

ચરણદાસ મહંત છત્તીસગઢમાં વિપક્ષના નેતા તરીકે નિયુક્ત

કોંગ્રેસે પૂર્વ વિધાનસભા અધ્યક્ષ ચરણદાસ મહંતને છત્તીસગઢમાં વિરોધ પક્ષના નેતા બનાવ્યા છે. પ્રદેશ પ્રમુખ તરીકે દીપક બૈજને યથાવત રાખવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે છત્તીસગઢમાં ભાજપના આદિવાસી સીએમ કાર્ડનો સામનો કરવા માટે કોંગ્રેસે વિપક્ષના નેતા અને પ્રદેશ અધ્યક્ષ બંનેને આદિવાસી સમુદાયમાંથી બનાવ્યા છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

કમલનાથે અભિનંદન પાઠવ્યા

પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે પાર્ટી દ્વારા કરવામાં આવેલા ફેરફારો પર પ્રતિક્રિયા આપતા અભિનંદન પાઠવ્યા છે. તેમણે તેમના સત્તાવાર હેન્ડલ X પર લખ્યું, “શ્રી જીતુ પટવારીને મધ્ય પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે, શ્રી ઉમંગ સિંઘરને કોંગ્રેસ વિધાનમંડળ પક્ષના નેતા તરીકે અને શ્રી હેમંત કટારેને ઉપનેતા તરીકે નામાંકિત કરવા બદલ હાર્દિક અભિનંદન.”

ADVERTISEMENT

જીતુ પટવારીને હારનો સામનો કરવો પડ્યો હતો

તમને જણાવી દઈએ કે જીતુ પટવારીને મધ્યપ્રદેશની રાઉ વિધાનસભા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેમને ભાજપના મધુ વર્માએ 35 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. પટવારી 2013 અને 2018ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પરથી જીત્યા હતા.

ADVERTISEMENT

મધ્યપ્રદેશની 230 બેઠકોમાંથી ભાજપે 163 બેઠકો જીતી છે અને પાર્ટીએ મોહન યાદવને મુખ્યમંત્રી બનાવ્યા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 66 સીટો જીતી શકી હતી. આ સાથે જ છત્તીસગઢમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અહીં 5 વર્ષ સુધી સત્તામાં રહેલી પાર્ટીને 90માંથી 35 બેઠકો મળી હતી. જ્યારે ભાજપે 54 બેઠકો જીતી હતી. પાર્ટીએ વિષ્ણુ દેવ સાંઈને મુખ્યમંત્રી બનાવ્યા છે.

બંને રાજ્યોમાં હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિલ્હીમાં સમીક્ષા બેઠક બોલાવી હતી. આ બેઠક બાદથી સંગઠનમાં ફેરફારની અટકળો ચાલી રહી હતી. સૂત્રોનું કહેવું છે કે પાર્ટી રાજસ્થાનમાં પણ આવો જ ફેરફાર કરી શકે છે. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીની અંદર આ ફેરફાર મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

    follow whatsapp

    ADVERTISEMENT