શું Rohit Sharma માટે IPL 2024ની સીઝન છેલ્લી હશે? Hardik Pandyaના કેપ્ટન બન્યા બાદ આ છે સમીકરણ!

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

Rohit Sharma-Hardik Pandya: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024) સિઝન હિટમેન રોહિત શર્મા માટે મુંબઈ ઈન્ડિયન્સની (Mumbai Indians) જર્સીમાં ખેલાડી તરીકે છેલ્લી સિઝન હોઈ શકે છે. વાસ્તવમાં, આ ફ્રેન્ચાઇઝીએ શુક્રવારે હાર્દિક પંડ્યાને પોતાનો નવો કેપ્ટન જાહેર કર્યો હતો. રોહિતની કપ્તાનીમાં ટીમ આ લીગની સૌથી સફળ ફ્રેન્ચાઈઝી બનીને સામે આવી છે. રોહિતે 11 સીઝન માટે મુંબઈ ઈન્ડિયન્સ ટીમનું નેતૃત્વ કર્યું હતું, જેમાંથી મુંબઈ ઈન્ડિયન્સ પાંચ વખત ટાઈટલ જીતવામાં સફળ રહી હતી.

મુંબઈ ઈન્ડિયન્સના આ પગલાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે રોહિત હવે એક ખેલાડી તરીકે આ ફ્રેન્ચાઈઝીની ભવિષ્યની યોજનાઓમાં નથી. IPLની 2025 સિઝનમાં મેગા ઓક્શન થશે. IPL સમિતિ ચાર ખેલાડીઓ (ત્રણ ભારતીય અને એક વિદેશી)ને ટીમમાં રહેવાની મંજૂરી આપશે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને મુંબઈની ટીમ હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રિત બુમરાહને જાળવી રાખવા ઈચ્છશે. પરંતુ વર્તમાન સિઝનમાં રોહિતનું જોરદાર પ્રદર્શન ઘણી વસ્તુઓ બદલી શકે છે.

રોહિત હજુ પણ જૂનમાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની કપ્તાનીની રેસમાં છે. રોહિત ઘણી વખત કહી ચૂક્યો છે કે તે મુંબઈ ઈન્ડિયન્સ સિવાય અન્ય કોઈ ફ્રેન્ચાઈઝી માટે ક્યારેય નહીં રમે. મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ સામે આવ્યું છે કે ઉત્તર ભારતની IPL ફ્રેન્ચાઇઝી તેને કેપ્ટન અને મેન્ટરની ભૂમિકા ભજવવા માટે માંગેલી રકમ ચૂકવવા તૈયાર છે. આવી સ્થિતિમાં શું તે પોતાનો વિચાર બદલશે, આ મોટો પ્રશ્ન છે?

આ પણ વાંચો

ADVERTISEMENT

 

View this post on Instagram

 

A post shared by Mumbai Indians (@mumbaiindians)

મુંબઈની પ્રેસ રિલીઝમાં નથી રોહિતનું નિવેદન

મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા બહાર પાડવામાં આવેલ નિવેદન એક સાદી પ્રેસ રિલીઝ હતી. IPLના મહાન કેપ્ટનોમાંના એક રોહિતનું કોઈ નિવેદન ન આવવું આશ્ચર્યજનક હતું. આ ફ્રેન્ચાઈઝીના ગ્લોબલ હેડ ઓફ કોચિંગ માહેલા જયવર્દનેએ રોહિતના યોગદાન બદલ આભાર માન્યો હતો. આ બધું ત્યારે થયું જ્યારે માત્ર 48 કલાક પહેલા રોહિતે તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર તેના વર્લ્ડ કપના અનુભવ વિશે વાત કરી હતી.

ADVERTISEMENT

IPL

ADVERTISEMENT

રોહિતે સુકાની પદ છોડવાનો નિર્ણય કેમ જાહેર ન કર્યો?

ફ્રેન્ચાઇઝી ક્રિકેટ પર નજર રાખનારા ઘણા દિગ્ગજોને આશ્ચર્ય થયું કે રોહિતને ખુદને પદ છોડવાની તક કેમ આપવામાં આવી નથી. હાર્દિકના કેપ્ટનશીપની જવાબદારી સંભાળવાથી બેટ્સમેન રોહિત મુક્તપણે બેટિંગ કરશે અને ભવિષ્યમાં તે અન્ય કોઈ ટીમની જર્સીમાં જોવા મળે તેવી શક્યતા છે.

મુંબઈની છેલ્લી ત્રણ IPL સિઝન સારી રહી નથી

IPLની છેલ્લી ત્રણ સિઝન મુંબઈ માટે સારી રહી ન હતી. 2021માં હાર્દિક સંપૂર્ણ રીતે ફિટ નહોતો, ત્યારપછી બુમરાહ ઈજાના કારણે સિઝનમાંથી બહાર રહ્યો હતો. ટીમે જોફ્રા આર્ચર માટે મોટી બોલી લગાવી હતી, પરંતુ તે પણ ઈજાને કારણે ટીમ માટે કામ કરી શક્યો ન હતો, જ્યાં સુધી રોહિત પોતે કંઈક નહીં કહે ત્યાં સુધી અનુમાન લગાવવું ખૂબ જ મુશ્કેલ હશે કે આ ફ્રેન્ચાઇઝીએ તેના અનુભવી ખેલાડી સાથે કેવા પ્રકારની ડીલ કરી છે.

    follow whatsapp

    ADVERTISEMENT